સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

પોરબંદરમાં આજે પર સેમ્‍પલોમાંથી પ પોઝીટીવ જાહેર થયા ૪૭ નેગેટીવ રીપોર્ટ

પોરબંદરઃ પોરબંદર શહેરમાં આજે પાંચ પોઝીટીવ કેસો જાહેર થયા છે જયારે ૪૭ નેગેટીવ જાહેર થયા છે.

પાંચ કોરોના પોઝીટીવમાં ર મહિલા અને એક ર૯ વર્ષનો એક રપ વર્ષનો યુવક અને એક પુરૂષનો સમાવેશ થાય છે.

અત્‍યાર સુધીમાં જીલ્લા પંચાયત દ્વારા ૪૦૦ અને ભાવસિંહજી હોસ્‍પિટલમાં ૧૦૦ મળી કુલ પપર સેમ્‍પલ લેવાયા હતા. જેમાંથી શહેરમાં કુલ ૩પ૯ પોઝીટીવ અને ગ્રામ્‍યમાં ૯૬ કુલ ૪પપ કેસો અત્‍યાર સુધીમાં થયેલ છે. જયારે પોરબંદરના કુલ ૩૦૭ દર્દીઓને ડીસ્‍ચાર્જ કરેલ છે તેની સામે ગ્રામ્‍ય વિસ્‍તારના ૬પ દર્દીને ડીસ્‍ચાર્જ  કર્યા છે.

અત્‍યાર સુધીમાં કુલ ૩૭ લોકોના મૃત્‍યુ નિપજયા છે.

હાલ ભાવસિંહજી હોસ્‍પિટલમાં કુલ રર કોવીડ હોસ્‍પિટલમાં એક તથા અન્‍ય જિલ્લાના ૧૪ મળી કુલ ૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે.

(11:00 pm IST)