સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 31st December 2021

ધોરાજીના ફરેણી મહામંત્ર ધામ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા તેમજ ફરેણી મહામંત્ર ધામ દ્વારા ૧૦૦૮ કરોડના સ્વામિનારાયણ મહામંત્ર જાપનો અનુષ્ઠાન કરવામાં આવ્યું

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.ના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા નગરપાલિકાના પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

ધોરાજી:ધોરાજી તાલુકાના ફરેણી(મહામંત્રધામ) ખાતે  શ્રીસ્વામીનારાયણ ગુરૂકુલ-રાજકોટ સંસ્થાન તથા શ્રીસ્વામીનારાયણ મહામંત્રધામ-ફરેણી આયોજીત સંતો-ભક્તો દ્વારા જપાયેલ ૧૦૦૮ કરોડ મંત્રજાપ અનુષ્ઠાન સહ સ્વામીનારાયણ મહામંત્ર ૨૨૦મા પ્રાગટ્ય મહોત્સવમા ભગવાન સ્વામીનારાયણ પ્રભુના દિવ્યદર્શન તેમજ સંતોના આશીર્વાદનો અલૌકીક લ્હાવો લેતા યુવા કિસાન નેતા જયેશ રાદડીયા તેમજ જેતપુર નગરપાલિકાના પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા તેમજ ડાંઈગ એસોસીયેશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલીયા વિપુલભાઈ બાલધા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્ય લાભ લીધો હતો

આ પ્રસંગે રાજકોટ ગુરુકુલ સ્વામિનારાયણ મંદિરના પોલીસ સ્ટેશન તો તેમજ જેતપુર સ્વામિનારાયણ મંદિર ગાદી સંસ્થાન મહામંત્ર ધામ ફરેણી ના સાધુ-સંતો વિજય ભગવાન સ્વામિનારાયણ મહા મંત્ર જાપ સાથે મોટી સંખ્યામાં હરિભક્તોએ દિવ્ય લાભ લીધો હતો

(10:19 pm IST)