Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ અગ્રણી ગજેન્દ્રભાઇ ચૌહાણની સુપુત્રીના શુભલગ્ન : ચિ.અરૃંધતી: ચિ.દેવેનકુમાર

  વઢવાણ : સુરેન્દ્રનગર શહેરના ભાજપના સક્રિય અગ્રણી  ગજેન્દ્રભાઈ વીરજીભાઈ ચૌહાણ અને ગીતાબેન ગજેન્દ્રભાઈ ચૌહાણની સુપુત્રી ચિ. અરુંધતી એમ બી એના શુભ લગ્ન જોરાવર નગર નિવાસી જશુબેન તેમજ અરવિંદભાઈ હરિભાઈ રાઠોડના સુપુત્ર ચિદેવેન કુમાર ડી આર બી એચ એમ એસ સાથે આજે યોજાનાર છે ત્યારે હાલમાં ગજેન્દ્રભાઈ ભાજપનો એક સક્રિય કાર્યકર હોવાના કારણે તેમની એક આગવી ઓળખ છે અને તેમનું ભાજપ સરકારમાં ઉપર લેવલ સુધીનું માન હોવાના કારણે ભાજપના પૂર્વ ધારાસભ્યો વર્તમાન ધારાસભ્યો તેમજ સાંસદ સભ્ય તેમજ ભાજપના તમામ મોરચાના સદસ્યો તેમ જ વેપારી મિત્રો પત્રકાર મિત્રો સહિતના તેમને ત્યાં લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહી અને પ્રસંગને રૃડો પ્રસંગ બનાવી અને નવદંપતીને આશીર્વાદ પાઠવશે.  ગણેશભાઈ તેજાભાઈ નથુભાઈ માનાભાઈ બળવંતભાઈ વીરજીભાઈ દીપકભાઈ વીરજીભાઈ કિશોરભાઈ વીરજીભાઈ પ્રકાશભાઈ વીરજીભાઈ નરેશભાઈ વીરજીભાઈ જીગ્નેશભાઈ બળવંતભાઈ વનરાજભાઈ દીપકભાઈ મેઘરાજભાઈ તેમજ મણીબેન નયનાબેન ગીતાબેન વંદનાબેન કાજલબેન સ્વાતિબેન લતાબેન સહિતના ચૌહાણ પરિવારના તમામ સદસ્યો આવેલા મહેમાનોને આદરભાવ સાથે સન્માનિત કરી અને ચૌહાણ પરિવારમાં આવેલ લગ્ન ઉત્સવ અને રૃડો અવસર બનાવશે.

(12:31 pm IST)