Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

જોશી પરિવારના આંગણે ઢોલ ધ્રબુકયા

જન્મી હતી જયારે તે મારા ઘરમાં, મારી એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ, ઈચ્છાઓ ઘણી બાકી હતી તેના માટે, પણ જોત જોતામાં દીકરી મોટી થઈ ગઈ

રાજકોટઃ અ.સૌ.કામીનીબેન તથા શ્રી નિલેશભાઈ બચુભાઈ જોશીના આત્મજા ચિ.કિંજલના  શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.ભાવનાબેન તથા શ્રી પરેશભાઈ મહેશભાઈ ત્રિવેદીના આત્મજ ચિ.જયદિપ સાથે નિરધાર્યા છે તથા સ્વ.માલાબેન તથા શ્રી ભરતભાઈ બચુભાઈ જોશીના આત્મજા ચિ.નિધીના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.કિર્તીબેન તથા શ્રી રાજીવભાઈ ગીરજાશંકર ભટ્ટના આત્મજ ચિ.રવિ સાથે તા.૧૬ નવેમ્બરના મંગળવારના શુભદિને નિરધારેલ છે.

આ પ્રસંગે માંગલીક અવસરો જોઈએ તો આજે ૧૨મીના શુક્રવારે આણું પથરાશે. તે જ દિવસે સાંજે ૫ વાગ્યાથી સાંજીના ગીત રાખેલ છે. ૧૫મીના સોમવારે સવારે ૧૦:૧૫ વાગે મંડપ મુર્હુત, સાંજે ૭ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે.

સૌ સગાસંબંધીઓ, સ્નેહીજનો, મિત્રોને પ્રિન્ટર્સ એન્જીનિયર્સ, પ્રેસ એન્ટરપ્રાઈઝના પ્રણેતા સ્વ.બચુભાઈ જોશી પરિવારના શ્રી રાહુલભાઈ બી.જોશી, શ્રી ભરતભાઈ બી.જોશી અને શ્રી નિલેષભાઈ બી.જોશી  દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવેલ છે. મો.૯૮૨૫૦ ૭૫૪૯૨, મો.૯૯૨૪૩ ૧૧૦૦૦.

(3:04 pm IST)