Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મોરબીના પૂર્વ ધારાસભ્‍ય કાંતિલાલ અમૃતિયાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. જહાન્‍વી * ચિ. ભરત

રાજકોટ, તા. ૧૨ :. મોરબી - માળીયામિંયાણાના ભાજપના પૂર્વ ધારાસભ્‍ય શ્રી કાંતિલાલ શિવલાલભાઈ અમૃતિયા અને શ્રીમતી જ્‍યોત્‍સનાબેન કાંતિલાલ અમૃતિયાના સુપુત્રી ચિ. જ્‍હાન્‍વીના શુભલગ્ન હૈદરાબાદ નિવાસી સુરેશભાઈ જે. લોદરીયા અને શ્રીમતી અર્ચનાબેન લોદરીયાના સુપુત્ર ચિ. ભરત સાથે નિરધારેલ છે.

શુભલગ્ન પ્રસંગે ગાંધીનગર ખાતે ૪ દિવસીય શુભ પ્રસંગોનું આયોજન કરવામા આવ્‍યુ છે.

કાલે તા. ૧૩ને શનિવારે સાંજે ૫ વાગ્‍યે રીંગ સેરેમની, ભોજન સમારંભ તથા લોકગાયક ઓસમાણ મીરનો લોકડાયરો યોજાશે.

તા. ૧૪ને રવિવારે હલ્‍દીરસમ બપોરે ૩ વાગ્‍યે તથા રાત્રીના ૮ વાગ્‍યે ભોજન સમારંભ અને ફેમીલી પરફોર્મન્‍સ કાર્યક્રમ યોજાશે.

તા. ૧૫ને સોમવારે શુભ લગ્નપ્રસંગે સવારે ૯ વાગ્‍યે ગણેશ સ્‍થાપન તથા સવારે ૯.૩૦ વાગ્‍યે મંડપ મુહુર્તનું આયોજન કરવામાં આવ્‍યુ છે અને રાત્રીના ભોજન સમારંભ બાદ લોકગાયક કિર્તીદાન ગઢવી સંગ રાસગરબાની રમઝટ બોલશે.

તા. ૧૬ને મંગળવારે બપોરે ૩ વાગ્‍યે જાનનું સ્‍વાગત સાંજે ૬.૩૦ વાગ્‍યે હસ્‍તમેળાપ અને ત્‍યાર બાદ ભોજન સમારંભનું આયોજન કરાયુ છે.

આ શુભ લગ્નપ્રસંગે ઈન્‍ફોસીટી કલબ, છ-ઓ સર્કલ પાસે, ગાંધીનગર ખાતે વિવિધ પ્રસંગો ઉજવાશે.

શુભલગ્ન પ્રસંગ માટે અંતરીક્ષમાંથી સ્‍વ. શિવલાલભાઈ પરસોતમભાઈ અમૃતિયા, સ્‍વ. પ્રેમીલાબેન શિવલાલભાઈ અમૃતિયા, સ્‍વ. શાંતિલાલ શિવલાલભાઈ અમૃતિયાએ આશિર્વાદ પાઠવ્‍યા છે.

આમંત્રીતોને ઉપસ્‍થિત રહેલા પ્રથમભાઈ કાંતીલાલ અમૃતિયા, કૌશિકભાઈ શાંતીલાલ અમૃતિયા, જાનકીબેન કૌશિકભાઈ અમૃતિયા, હિતીક્ષાબેન અને ઉદયકુમાર સીતાપરા, રાજભાઈ ભરતભાઈ અમૃતિયા, હેમભાઈ ભરતભાઈ અમૃતિયા, ઝીલ રતીલાલ અમૃતિયા, રીચા અને જયદિપકુમાર કાનડીયા સહિત પરિવારજનોએ આમંત્રણ પાઠવ્‍યુ છે.

મોરબી - માળીયાના ભાજપના પૂર્વ ધારાસભ્‍ય કાંતિલાલ અમૃતિયા મો. ૯૮૨૫૩ ૯૬૫૪૪, મો. ૯૯૨૫૭ ૪૪૯૪૪ 

(10:38 am IST)