Gujarati News

Gujarati News

News of Thursday, 13th October 2022

રાજકોટનાં પટ્ટણી પરિવારમાં શુભલગ્ન : ચિ.મોઇન : ચિ.તન્‍વીર

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદરઃ ‘સંદેશ' દૈનિક-રાજકોટના એડવર્ટાઈઝ મેનેજર મર્હુમ મજીદભાઈ પટ્ટણીના બન્ને ડોકટર સુપુત્રો ચિ.મોઈન તથા ચિ.તન્‍વીરના શુભ લગ્ન તા.૧૫/૧૬ના રોજ નિર્ધાર્યા છે.રિસેપ્‍શન તા.૧૭ના રોજ છે.

રાજકોટ નિવાસી શ્રીમતિ રઝીયાબેન તથા મર્હુમ મજીદભાઇ એચ.પટ્ટણીના સુપુત્ર ચિ.ડો.મોઈનના શુભ લગ્ન ધોરાજી નિવાસી શ્રીમતિ આરીફાબેન તથા અશરફભાઇ પટ્ટણીની સુપુત્રી ચિ.આફરીન સાથે તા.૧૫ના રોજ તથા સુપુત્ર ચિ.ડો.તન્‍વીરના શુભ લગ્ન ધોરાજી નિવાસી શ્રીમતિ નૂરજહાંબેન તથા શ્રી ઈબ્રાહીમભાઇ બેલીમની સુપુત્રી ચિ.સોફિયા સાથે તા.૧૬ના રોજ નિર્ધાયા છે.

ડો.મોઈનની નિકાહ તા.૧૫ના રોજ શાહજી હોલ,બસ સ્‍ટેન્‍ડ રોડ,ધોરાજી ખાતે તથા ડો.તન્‍વીરની નિકાહ તા.૧૬ના રોજ પંડિત દિન દયાળ કોમ્‍યુનિટી હોલ,રાજકોટ ખાતે નિર્ધારિત કરેલ છે.

રિસેપ્‍શન તા.૧૭ સોમવારના રોજ સાંજે ૭ કલાકે બંધન પાર્ટી પ્‍લોટ,એચડીએફસી બેન્‍ક સામે,૧૫૦ ફુટ રીંગ રોડ,સીનર્જી હોસ્‍પિટલ પાસે,રાજકોટ.(મો.૯૮૭૯૦ ૪૧૫૮૫)

(5:18 pm IST)