Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

નવાગઢના‘અકિલા' ના પત્રકાર નિતીનભાઇ વસાણીના સુપુત્રીના શુભલગ્નઃ ચિ. માનસી ù ચિ. ધવલ

રાજકોટ : જેતપુરના નવાગઢનાં સ્‍વ. ડો. મનુભાઇ વસાણી, સ્‍વ. હિરાબેન વસાણી, સ્‍વ. બેન ઉર્મિલાબેન વસાણીના અંતરના આર્શિવાદથી શ્રીમતી રક્ષાબેન તથા શ્રી નીતિનભાઇ વસાણી (અકિલા' પત્રકાર-નવાગઢ)ના સુપુત્રી ચિ. માનસી (એડવોકેટ)ના શુભલગ્ન અમદાવાદ નિવાસી શ્રીમતી નિતાબેન અને શ્રી દિનેશભાઇ રાડીયાના સુપુત્ર ચિ. ધવલ (સોફટવેર એન્‍જીનીયર) સાથે તા. ર૦ ને રવિવારે નિરધારેલ છે.

મંડપ રોપણ-સાંજીના ગીત આજે તા. ૧૯ ને શનીવારે સાંજે ૬ વાગ્‍યે, રાત્રીના ૧૦ વાગ્‍યે રાસ-ગરબા, તા. ર૦ ને રવિવારે સવારે ૧૦ વાગ્‍યે ચુંદડી, જાનનું આગમન, બપોરે ૧ વાગ્‍યે ભોજન સમારંભ તથા બપોરે ર.૧૧ વાગ્‍યે હસ્‍તમેળાપ વિધી પધારો રિસોર્ટ, શ્રી તત્‍કાલ હનુમાન ચોકડી, જેતપુર-પોરબંદર હાઇવે જેતપુર ખાતે રાખેલ છે.

આમંત્રીતોને ઉપસ્‍થિત રહેવા નિતીનભાઇ વસાણી, શ્રીમતી રક્ષાબેન વસાણી, ભરતભાઇ મનુભાઇ વસાણી, શ્રીમતી દિપાબેન ભરતભાઇ વસાણી, વિજયભાઇ મનુભાઇ વસાણી, શ્રીમતી હર્ષાબેન વિજયભાઇ વસાણી, વિવેક નિતીનભાઇ વસાણી (કંપની સેક્રેટરી), શ્રીમતી પાયલ વિવેકભાઇ વસાણી  (ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ), જય ભરતભાઇ વસાણી, શ્રીમતી પુનમબેન વસાણી, દિપ ભરતભાઇ વસાણી, શ્રીમતી નિશાબેન વસાણી, બ્રિજેશકુમાર કોટક, શ્રીમતી શિવાલીબેન કોટક, ગં. સ્‍વ. મંજૂલાબેન દિલીપકુમાર નંદાણી, ગં. સ્‍વ. ગુણવંતીબેન મનોજકુમાર અઢીયા, ગોપી, તનીષા, જીયા, ક્રીષ, પ્રિયલ સહિત પરિવારજનોએ આમંત્રણ પાઠવ્‍યું છે.

(11:13 am IST)