Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જામનગરમાં ગજાનંદ ઢોસાવાળા કિરીટભાઇ પરમારની બંને સુપુત્રીઓના શુભવિવાહ

જામનગર : જામનગરના રણજીતસાગર રોડ ઉપર આવેલ ગજાનંદ ઢોસા ના સંચાલક કિરીટભાઈ બાબુલાલ પરમાર ની દિકરીઓના શુભ વિવાહ આજે થયા રભ છે. ચિ. ભુનેશ્વરના લગ્ન જામનગર નિવાસી અ.સૌ. લીલાવંતીબેન તેમજ જેન્તીલાલ ડાયાભાઈ સોનગ્રા ના સુપુત્ર ચિ. જયદીપ સાથે થઈ રહ્યા છે. જયારે ચિ. મિનાક્ષીના શુભ લગ્ન જામનગર નિવાસી અ.સૌ. નિતાબેન તથા રમેશભાઈ નારણભાઈ સોનગ્રાના સુપુત્ર ચિ. ભાવિક સાથે થઈ રભ છે. કાલાવડ નાકા બહાર જય કલ્યાણ સોસાયટી, માતૃકૃપા જામનગર ખાતે રહેતા કિરીટભાઈ બાબુલાલ પરમાર ઘણા સમયથી ઢોસાનો આહલાદક સ્વાદ લોકોને પિરસી સ્વાદ પ્રેમીઓના દિલમાં જગ્યા બનાવી છે. તેમના પરિવારમાં બંન્ને દિકરીઓના શુભ વિવાહના આનંદના અવસરો ને લઈને પરમાર પરિવાર અને સોનગ્રા પરિવારમાં હરખની હેલી છે.

જામનગરના મોરકંડા રોડ ઉપર આવેલ સતવારા સમાજની નવી વાડી ખાતે ગઈકાલથી લગ્ન અવસરની વિધી કરવામાં આવી રહી છે. જયાં આજે સવારે ૧૧–૩૦ કલાકે હસ્તમેળાપ થયા હતા અને ચોરીના ચાર ફેરા ફરી પરમાર પરીવારની બંન્ને લાડકી દિકરીઓ સોનગ્રા પરિવારમાં પરણીને દામપત્ય જીવનની શરૂઆત કરી છે. અને સ્નેહી સંબંધી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

(11:49 am IST)