Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

શ્રીલંકાના પ્રવાસ માટે બાંગ્લાદેશી ટીમની જાહેરાત

નવી દિલ્હી: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) એ આગામી શ્રીલંકા પ્રવાસ માટે 21 સભ્યોની પ્રારંભિક ટુકડીની જાહેરાત કરી છે. ક્રિકબઝ મુજબ ટીમમાં આ શ્રેણી માટે ત્રણ નવા ખેલાડીઓ - મુકિદુલ ઇસ્લામ, શાહિદુલ ઇસ્લામ અને શોરફુલ ઇસ્લામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન નૂરુલ હસન, શુવાગાતા હોમ અને ખલીલ અહેમદ ટીમમાં વાપસી કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં સામેલ મુસ્તાફિઝુર રહેમાન, સૌમ્યા સરકાર અને હમસ મહેમૂદને આ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. શાકિબ અલ હસન પહેલાથી જ આઈપીએલને કારણે શ્રેણીમાંથી ખસી ગયો હતો અને તે માટે બીસીબી પાસેથી એનઓસી મેળવ્યો હતો. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. પ્રથમ ટેસ્ટ 21 એપ્રિલથી અને બીજી ટેસ્ટ 29 એપ્રિલથી રમાશે. બંને મેચ પલ્લેકલેમાં યોજાશે.

(5:38 pm IST)