Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાહુલ કેપ્ટનઃ રોહિત, દીપક, કુલદીપ નહિ રમેઃ કાલે અંતિમ વન-ડે

શું ટીમ ઈન્ડિયા કલીનસ્વીપથી બચી શકશે?

નવી દિલ્હીઃ સિરીઝની પહેલી બન્ને દિલધડક વન-ડે હારીને સિરીઝની ટ્રોફી ૦-૨થી ગુમાવી બેઠેલા ભારતની આવતીકાલે (સવારે૧૧:૩૦ વાગ્યાથી લાઈવ) બાંગ્લાદેશ સામે ત્રીજી અને આખરી મેચ રમાશે. આ મુકાબલો જીતીને બાંગ્લાદેશ પોતાના ઓડીઆઈના ઈતિહાસમાં ૩-૦ની કલીન સ્વીપ સાથે નવું પ્રકરણ ઉમેરી શકશે.

જો કે આવતા વર્ષના ઓકટોબરના વન-ડે વર્લ્ડ કપના યજમાન ભારતે વાઈટવોશથી બચવું પડશે. રોહિત શર્મા હાથની ઈજાને કારણે નહીં રમે. ઈજાગ્રસ્તો દીપક ચાહર અને કુલદીપ સેન પણ આવતીકાલે નથી રમવાના.

(4:34 pm IST)