Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

હજુ આઈપીએલમાં રમતો જોવા નહીં મળે શ્રીસંત

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. વર્ષે હરાજી માટે 1114 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. બીસીસીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં બિડ માટે ફક્ત 292 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. 7 વર્ષના લાંબા ગાળા પછી ક્રિકેટમાં પાછા ફરનાર એસ શ્રીસંતને હરાજીમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન માર્નસ લબુસ્ચેને પહેલીવાર આઈપીએલ માટે પોતાને નોંધણી કરાવી છે. લબુશેનની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા છે. તેણે વર્ષે આઈપીએલમાં રમવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. મળતી માહિતી મુજબ વર્ષે આઈપીએલમાં 292 ખેલાડીઓમાંથી 164 ભારતીય ખેલાડીઓ શામેલ છે જ્યારે 125 વિદેશી ખેલાડીઓ છે. તમામ 8 ટીમોમાં 61 સ્લોટ ભરવા માટે હરાજીની પ્રક્રિયા 18 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યે શરૂ થશે.

(5:58 pm IST)