Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

દ્રવિડને થોડા સમય માટે કોચ બનાવાશેઃ ગાંગુલી

લાંબાગાળા માટે તેની ઈચ્છા નથી પણ હું તેની સાથે વાત કરીશ

નવીદિલ્હીઃ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, રવિ શાસ્ત્રી બાદ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડને થોડા સમય માટે ભારતીય ટીમના કોચ તરીકે નિયુકત કરી શકાય છે. તેમણે ધ ટેલીગ્રાફ સાથેની વાતચીતમાં કહ્યું કે રાહુલ, દ્રવિડ લાંબા સમય સુધી આ પદ પર રહેવા માંગતા નથી. પરંતુ તેમની સાથે ચોકકસપણે વાત કરવામાં આવશે.

ગાંગુલીએ કહ્યું, 'હું સમજુ છું કે તેમને કાયમી રીતે કામ કરવામાં કોઈ રસ  નથી. અમે હજી તેમની સાથે વાત કરી નથી. પરંતુ અમે તેમની સાથે આ વિશે વાત કરીશું અને પછી જોઈએ શું થાય છે.'

(4:29 pm IST)