Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કોહલીએ આચારસંહિતા તોડીઃ ઠપકો મળ્યો

નવી દિલહી : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં આઇપીએલની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યુ હતું. આ વાતની જાણકારી આઇપીએલે પોતાના એક સ્ટેટમેન્ટમાં આપી હતી.  કોહલી ર૯ બોલમાં ૩૩ રન કરીને આઉટ થયા બાદ નાખુશ હતો અને તેણે ટીમના ડગઆઉટમાં જઇને ત્યાં પડેલી ખુરશી પર બેટ ફટકારીને ગુસ્સો ઉતાર્યો હતો. આ પહેલાં તેણે જાહેરાતો ધરાવતી બાઉન્ડરી લાઇન પર પણ બેટ વડે ગુસ્સો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. તેનો આ ક્રોધાવેશ ટીમના સાથી ખેલાડીઓએ પણ જોયો હતો અને ટીવી કેમેરામાં કેદ થયેલા તેના આ ક્રોધિત સ્વરૂપવાળો વિડીયો પણ ઘણો વાઇરલ થયો હતો.

(4:03 pm IST)