Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

આઘાત લાગ્યો પણ ભારતીય કેપ્ટન તરીકે સફળ કાર્યકાળ માટે અભિનંદન

રોહિતે વિરાટ સાથેનો ફોટો શેર કરી કહ્યું

નવી દિલ્હી : વિરાટની કેપ્ટનશીપ છોડ્યા બાદ ક્રિકેટ જગતના તમામ ખેલાડીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. રોહિતે કહ્યુ છે કે વિરાટના આ નિર્ણયથી આશ્ચર્યચકિત છે. જો કે આ સાથે તેણે કોહલીને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી છે.  સોશ્યલ મીડીયા પર વિરાટ સાથેનો ફોટો શેર કરતા રોહિતે લખ્યું, 'આઘાત લાગ્યો!! પરંતુ ભારતીય કેપ્ટન તરીકે સફળ કાર્યકાળ માટે અભિનંદન. ભવિષ્ય માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ'

(2:28 pm IST)