Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

કાશ્‍મીર પ્રિમીયર લીગમાં મુખ્‍ય મહેમાન પદે વિરાટને આમંત્રણ

આરીફ મલિક આપશે આમંત્રણ,કહ્યું શાંતિનો સંદેશો પ્રસરાવવા કોહલીને નિમંત્રણ અપાશે

નવી દિલ્‍હી : કાશ્‍મીર લીગના વડા આરિફ મલિકે કહ્યુ કે ટીમ ઇન્‍ડિયાના સ્‍ટાર ક્રિકેટર વિરાટ કોહલીને ટી૨૦ લીગની બીજી સીઝન માટે સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવશે.આ લીગના ખાસ મહેમાન તરીકે બોલાવવામાં આવશે.આ ટી-૨૦ લીગનો ધ્‍યેય વિશ્વને શાંતિનો સંદેશ આપવાનો છે. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેનો તણાવ ઓછો થાય અને તેથી જ આ ટી-૨૦ લીગ શરૂ કરવામાં આવી છે.

કેપીએલની બીજી સિઝન ૧ ઓગસ્‍ટથી રમાશે અને તેની અંતિમ મેચ ૧૪ ઓગષ્‍ટે સમાશે. ૧૪ ઓગષ્‍ટએ પાકિસ્‍તાનનો સ્‍વતંત્રતા દિવસ છે. કેપીએલની બીજી સિઝનમાં રાવલકોટ હોકસ, કોટલી લાયન્‍સ, મીરપુર રોયલ્‍સ, મુઝફફરાબાદ ટાઇગર્સ.ઓવરસીઝ વેરીયર્સ અને બાગ સ્‍ટેલિયન્‍સની ટીમો ભાગ લેશે.

(2:59 pm IST)