Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જાડેજા અને સૂર્યકુમાર ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ પહેલા ફીટ થઇ જશે, જોકે દીપક ચહર ટિકિટ ગુમાવશે

ત્રણેય ખેલાડીઓએ એનસીએમાંથી ફીટનેસ ટેસ્‍ટ પાસ કરવી પડશે

નવી દિલ્‍હીઃ રવિન્‍દ્ર જાડેજા અને સૂર્યકુમાર યાદવ ઇંગ્‍લેન્‍ડ જવા માટે તૈયાર છે. જોકે, ઓલરાઉન્‍ડર દીપક ચહર હજુ સુધી ઇજામાંથી બહાર આવ્‍યો નથી. આવી સ્‍થિતિમા તે આ પ્રવાસમાંથી બહાર થઇ જશે. તે હજુ બે મહિના ક્રિકેટના મેદાનથી દુર રહેશે.

બીસીસીઆઇના પસંદગીકારોએ જણાવ્‍યુ હતું કે ત્રણેય ખેલાડીઓ આગમી દિવસોમાં એનસીએમાં હશે. અને તેમની ફિટનેશના આધારે ઈંગ્‍લેન્‍ડ પ્રવાસ માટે તેમના નામ પર વિચાર કરવામાં આવશે. દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ઉપલબ્‍ધ નથી. પરંતુ અમને આશા છેકે ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ માટે ફિટ થઇ જશે. ભલે તેઓ ૧૫મી તારીખ સુધીમાં ૧૦૦% ફિટ ન હોય.

(2:50 pm IST)