Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ટીમ ઇન્ડિયાએ છ બોલરો સાથે મેદાનમાં ઉતરવું જોઇએઃ અગરકર

અંતિમ પસંદગીમાં શાર્દુલ-ભૂવી વચ્ચે સ્પર્ધા રહેશેઃ પાર્થિવ

 નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર અજીત અગરકરનું માનવું છે કે કેપ્ટન વિરાટ કોહલીએ યુએઈની સપાટ પીચને ધ્યાનમાં રાખીને છ બોલરો સાથે  મેદાનમાં ઉતરવુ જોઇએ. ત્રણ ફાસ્ટબોલર અને સ્પીનરમાં પણ ઘણા વિકલ્પ છે.

ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા પણ છે જેની પાસે સારી બેટિંગ છે. જો હાર્દિક  બોલિંગ ન કરે તો મારા છ વિકલ્પ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, જાડેજા, વરુણ ચક્રવર્તી, રાહુલ ચાહર હશે.  ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે કહ્યું છે કે કોહલીએ તે કોમ્બિનેશન  સાથે જોવું જોઈએ. રોહિત શર્મા, લોકેશ રાહુલ ઓપનીંગ કરશે. કોહલી નંબર -૩ પર હશે.  સૂર્યકુમાર ચોથા, રિષભ પંત પાંચમા, જો હાર્દિક બોલિંગ કરતો નથી, તો તેને એવી જગ્યાએ રમવો જોઈએ જ્યાં તે મેચ પૂરી કરી શકે.  આ સિવાય જાડેજા, રાહુલ ચાહર, શમી બુમરાહ હશે પરંતુ અંતિમ પસંદગી શાર્દુલ, ભુવનેશ્વર વચ્ચે થશે. 

(2:42 pm IST)