Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

કાર્તિક ઈન્જેકશન લઈ IPLમાં રમ્યો હતો, મુસ્તાક ટ્રોફીમાં નહિ રમે

નવીદિલ્હીઃ અનુભવી વિકેટકીપર બેટ્સમેન અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક પ્લેઓફમાં ઈન્જેકશન લીધા બાદ આઈપીએલમાં રમ્યા હતા. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના સચિવ એસ. રામાસ્વામીએ આ ખુલાસો કર્યો કે કાર્તિક ઘૂંટણની ઈજાથી પીડાતો હતો અને તેના કારણે તેને પેઈનકિલર ઈન્જેકશન લેવું પડયું હતું. ઈજાને કારણે, જમણા હાથના બેટ્સમેન ૪ નવેમ્બરથી શરૂ થનારી સૈયદ મુશ્તાક ટી૨૦ ટ્રોફીની આગામી સિઝનને ચૂકી જશે.

(2:37 pm IST)