Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રૈના બાદ જાડેજાના ટવીટથી ફરી વિવાદ

યુઝર્સે ટ્રોલ કરી લખ્યું 'સર તમે લાખો લોકો માટે પ્રેરણા છો, અમને તમારી પાસેથી આવી અપેક્ષા ન હતી

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાના 'હું પણ બ્રાહ્મણ છું' ના નિવેદન અંગેનો વિવાદ હજુ પૂરો થયો નથી. ત્યાં ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેની એક ટ્વિટના કારણે ભારે ટ્રોલ થઇ રહ્યો છે. જાડેજા હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે અને તેણે એક ટ્વીટ કરી હતી. આમાં તેણે લખ્યું કે રાજપૂત બોય ફોરેવર. જય હિન્દ !.

લોકોને જાડેજાની આ ટ્વીટ પસંદ નથી આવી અને ટ્વિટર યુઝર્સ જાડેજાને ટ્રોલ કરી રહ્યા છે. લોકોએ તેમને જાતિવાદને પ્રોત્સાહન ન આપવાની સલાહ આપવાનું શરૂ કર્યું. જાડેજાના ટ્વિટ પર એક ટ્વિટર યુઝરે લખ્યું કે સર તમે લાખો લોકો માટે પ્રેરણા છો. અમને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. તમારો રંગ, સ્વરૂપ અને ધર્મ કોઈ ફર્ક નથી પડતો. અમે હંમેશાં તમને પ્રેમ કર્યો છે.

બીજા એક યુઝરે લખ્યું કે જાતિવાદને કારણે દેશ બરબાદ થઈ રહ્યો છે. જડ્ડુની આવી પોસ્ટ અપેક્ષા ન હતી. ઉચ્ચ પદ પર પહોંચ્યા પછી પણ તેઓ જ્ઞાતિવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. શરમજનક !. બીજા એક યુઝરે જાડેજાના ટ્વિટ પર લખ્યું છે કે માણસ જન્મ દ્વારા મહાન થતો નથી. તમે કોણ છો તેના પર ગર્વ કરો, તમારા પરના લેબલ્સ નહીં.

(3:53 pm IST)