Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

સરકાર દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને ન્‍યાય અપાવવામાં કોઇ કસર છોડશે નહીં: પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ટ્‍વિટર હેન્‍ડલ ઉપર વીડિયો શેર કર્યો

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ સુશાંત સિંહ રાજપૂત માટે કહ્યું કે, દિવંગત બોલીવુડ અભિનેતા એક સાચી પ્રેરણા હતા અને તેઓ હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે. સોમવારે રૈનાએ દિવંગત અભિનેતાને યાદ કરતા પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર દિવંગત બોલીવુડ અભિનેતાને ન્યાય અપાવવામાં કોઈ કસર છોડશે નહીં.

રૈનાએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'ભાઈ તમે અમારા દિલોમાં હંમેશા જીવંત રહેશે, તમારા પ્રશંસક તમને ખુબ યાદ કરે છે. મને આપણી સરકાર પર વિશ્વાસ છે અને તેના નેતા તમને ન્યાય અપાવવામાં કોઈ કસર છોડશે નહીં. તમે એક સાચી પ્રેરણા છો!'

મહત્વનું છે કે 14 જૂને પોતાના ઘરે મૃત મળેલા સુશાંતના મોતની તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી દીધી છે. હાલમાં જ 15 ઓગસ્ટે રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે. તેણે પોતાના 13 વર્ષના કરિયરમાં 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી20મા ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. રૈના 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યૂએઈમાં રમાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમશે.

(5:35 pm IST)