Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રાહુલ નો-બોલ પર આઉટ ! :અન્યાય થયાની લાગણી સાથે સોશ્યલ મીડિયામાં ચાહકોએ અમ્પાયર પર ગુસ્સો ઠાલવ્યો

ઈન્ડિયન ફેન્સ નો-બોલનો ફોટો શેર કરીને લખી રહ્યા હતા કે . શું અમ્પાયર્સ એટલા આંધાળા છે કે એક નો-બોલ પણ નથી જોઈ શકતા.

મુંબઈ :પ્રથમ T 20 વલ્ડકપ મેચમાં ભારતની કારમી હાર બાદ સોશિયલ મીડિયામાં ઘણા સવાલો જોવા મળી રહ્યા છે. જો કે, રોહિત શર્મા અને કે એલ રાહુલ વહેલા આઉટ થઈ જતા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી હતી. રાહુલ નો-બોલ હોવાની ઘટના મુદ્દે સો.મીડિયામાં હોબાળો મચી જવા પામ્યો છે.

ઈન્ડિયાની પ્રથમ બેટિંગમાં કે.એલ.રાહુલ ત્રીજી ઓવરમાં બોલ્ડ થયો હતો. જો કો, આ વિકેટને લઈ ઈન્ડિયા પોવરપ્લેમાં પ્રેશરમાં આવી ગઈ હતી. પરંતુ ચોંકાવનારો કિસ્સો તો એવો રહ્યો કે રાહુલને નો-બોલ પર આઉટ હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં થવા લાગી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ ફોટાને લીધે ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે. આ ફોટામાં રાહુલને નો-બોલ પર આઉટ થયો તેમ દેખાઈ રહ્યું છે. અન્યાય થયો હોવાથી ફેન્સ પણ ગુસ્સે થયા હતા.

સોશિયલ મીડિયામાં રાહુલ આઉટ થયાની ગણતરીની મિનિટમાં હોબાળો મચી જવા પામ્યો હતો. ઈન્ડિયન ફેન્સ નો-બોલનો ફોટો શેર કરીને લખી રહ્યા હતા કે આ મેચમાં સૌથી ખરાબ અમ્પાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. શું અમ્પાયર્સ એટલા આંધાળા છે કે એક નો-બોલ પણ નથી જોઈ શકતા. વળી, બીજા એક યુઝરે PM ઓફિસને પણ ટેગ કરીને જાણ કરી કે રાહુલને તો નો-બોલ પર આઉટ અપાયો છે.

પાકિસ્તાની ટીમે પહેલી ઓવરથી જ આક્રમક બોલિંગ કરી ચોથા બોલ પર રોહિત શર્માને પેવેલિયન ભેગો કર્યો હતો. આ મેચમાં રોહિત શર્મા શૂન્ય રન કરી પેવેલિયન ભેગો થતાની સાથે જ ઈન્ડિયન ટીમ બેક ટુ બેક વિકેટ ગુમાવવા લાગી હતી. આ મેચમાં ઓપનિંગ જોડી હિટ સાબિત ના થતાં ટીમ પાવરપ્લેમાં માત્ર 36 રન કરી શકી હતી અને 3 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી.

(7:30 pm IST)