Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કોમેન્ટ્રીમાં સિરાજના પિતાને બદલે સૈનીના પિતાને આપી શ્રદ્ધાંજલિ : એડમ ગિલક્રિસ્ટથી મોટી ભૂલ

એડમ ગિલક્રિસ્ટે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને માફી પણ માંગી લીધી.

સિડની : ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી પહેલી વન-ડે મેચ સમયે એડમ ગિલક્રિસ્ટથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ વિકેટકીપર બેટ્સમેને કોમેન્ટ્રી આપતી વખતે આ ભૂલ કરી બેઠા અને ફેન્સે જ્યારે સોશિયલ મીડિયા પર આ અંગે જાણ કરી ત્યારે તેમણે માફી માંગી હતી. કેટલાક દિવસ અગાઉ મોહમ્મદ સિરાજના પિતાનું અવસાન થયુ હતું, પણ કોમેન્ટ્રી સમયે એડમ ગિલક્રિસ્ટે કહ્યું કે નવદીપ સૈનીના પિતાનું અવસાન થયુ છે

ભૂલ બાદ ફૅન્સે ગિલક્રિસ્ટની કોમેન્ટ્રીના વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આ ભૂલની જાણ થતા જ એડમ ગિલક્રિસ્ટે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને માફી પણ માંગી લીધી. હતી  ગિલક્રિસ્ટે તે સમયે સિરાજના પિતાને શ્રદ્ધાંજલિ પણ આપી હતી

સૌથી પહેલા ગિલક્રિસ્ટે ભૂલ અંગે એક ફેને માહિતી આપી ત્યારે ગિલક્રિસ્ટે કહ્યું મારાથી ભૂલ થઈ ગઈ છે, હું માફી માગુ છું. મોહમ્મદ સિરાજના પિતાનું અવસાન થયુ હતું. ત્યારબાદ મિચેલ મૈકેલેનેઘનના સોશિય મીડિયા પર કરેલી ટિપ્પણીનો જવાબ આપતા ગિલક્રિસ્ટે કહ્યું કે હું માફી માંગુ છું. ગિલક્રિસ્ટે કહ્યું કે હું મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની બન્ને પાસે માફી માંગુ છું. મે ખોટી માહિતી આપી. ગિલક્રિસ્ટની ભૂલને લઈ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા.

(9:15 pm IST)