Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

દિલ્હી કેપિટલ્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા : ઋષભ પંતને કેપ્ટન તરીકે યથાવત રાખ્યા

દિલ્હી કેપિટલ્સે IPL 2022 ની મેગા હરાજી પહેલા ખેલાડીઓને જાળવી રાખ્યા અને રિલીઝ કર્યા તે જાહેર કર્યું છે. ટીમે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં ઋષભ પંત, અક્ષર પટેલ, એનરીખ નોર્કિયા અને પૃથ્વી શૉના નામ સામેલ છે. ઋષભ પંતને કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવશે.જેમાં તેમને જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ દરમિયાન અક્ષર પટેલ ટીમ માટે તે જ ભૂમિકા ભજવી શકે છે જે CSK માટે રવિન્દ્ર જાડેજા રમી રહ્યો છે. એ જ રીતે પૃથ્વી શૉને ભવિષ્યના રોકાણ તરીકે રાખવામાં આવ્યો છે. જો તે તોફાની શૈલીમાં બેટિંગ કરે છે, તો ટીમે ખૂબ જ સમજદાર નિર્ણય લીધો છે. નોર્કિયાની વાત કરીએ તો છેલ્લી બે સિઝનમાં તેમની બોલિંગ શાનદાર રહી છે.

(9:59 pm IST)