મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર શેખર ગવળી ટ્રેકિંગ કરતા સમયે ખીણમાં પડી જતા મોતને ભેટ્યા
નવી દિલ્હી: મહારાષ્ટ્રના પૂર્વ રણજી ક્રિકેટર શેખર ગવળીનું નિધન થયું. 45 વર્ષિય શેખર તેના મિત્રો સાથે ટ્રેકિંગ કરવા ગયો હતો, આ દરમિયાન 250 ફૂટ ઉડા ખાડામાં પડતાં તેનું મોત નીપજ્યું હતું. ગવળીએ મહારાષ્ટ્ર માટે બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. મંગળવારે સાંજે તે નાસિકના ઇગતપુરી હિલ સ્ટેશન પર મિત્રો સાથે ટ્રેકિંગ કરવા ગયો હતો. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે ગવળીનું ઉડા ખાડામાં પડતાં મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે, સંતુલિત બગડતા તે ખાડામાં પડી ગયો. ઇગતપુરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, 'તેનો મૃતદેહ બુધવારે સવારે 10 વાગ્યે મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ પરિવારના સભ્યોને સોંપવામાં આવશે. શેખર અગાઉ મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમનો આસિસ્ટન્ટ કોચ હતો અને હાલમાં અંડર -23 ટીમનો ફિટનેસ ટ્રેનર રમે છે. શેખર જમણા હાથે બેટ્સમેન અને લેગ સ્પિનર હતો.