ખેલ-જગત
News of Tuesday, 4th May 2021

શ્રીલંકાના ઓલરાઉન્ડર પરેરા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્ત

નવી દિલ્હી: શ્રીલંકાના પૂર્વ મર્યાદિત ઓવરોના કેપ્ટન થિસારા પરેરાએ સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) ને મોકલેલા પત્રમાં 32 વર્ષીય પરેરાએ કહ્યું કે તેમને લાગે છે કે તેમના માટે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે જેથી વધુમાં વધુ યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને ટીમમાં તક મળે. પરેરાએ ટેસ્ટ, 166 વનડે અને 84 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું છે.

(5:54 pm IST)