આપણે ટોસ જીતી હે હારી પહેલા દિવસથી જ બોલ ટર્ન થવો જોઇએઃ શાસ્ત્રી
આપણી ટીમે પિચનો ભરપુર ફાયદો ઉઠાવવો જોઇએ
નવી દિલ્હી : ભુતપુર્વ ભારતીય કેપ્ટન અને ભુતપુર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીએ કહયું હતું કે કાંગારૂઓ સામેની આગામી સીરીઝના પહેલા દિવસથી જ બોલ ટર્ન થવો જોઇએ અને ટીમ ઇન્ડીયાએ હોમ પિચનો ભરપુર ફાયદો લેવો જોઇએ.
શાસ્ત્રીએ એવુ પણ કહયું કે ભલે ટીમ ઇન્ડીયા ટોસ હારે તો પણ બોલ પહેલા દિવસથી ટર્ન થવો જોઇએ એવી પિચ હોવી જોઇએ. ટુંકમાં આપણી ટીમે પિચનો પુષ્કળ ફાયદો ઉઠાવવો જોઇએ.
થોડા દિવસ પહેલા ઓસ્ટ્રેલીયાના વિકેટ-કીપીંગ લેજન્ડ ઇયાન હીલીએ કહયું કે ભારતમાં રમાચારી ચાર ટેસ્ટ માટેની પિચ જો અવ્યવહારૂ નહી હોય તો ઓસ્ટ્રેલીયાની ટીમને ફાયદો થશે જ. રવી શાસ્ત્રીએ હિલીના મંતવ્યો વિશે ટકોર કરતા કહયું કે ઓસ્ટ્રેલીયાના પ્લેયર્સ ઘરઆંગણે જે તૈયારી કરીને આવ્યા છે એના આધારે હિલીએ આ નિવેદન આપ્યું છે. તેઓ કંઇ ઘરઆંગણે નથી રમવાના, ભારતમાં રમવા આવ્યા છે. ભારત પોતાની ટીમને ફાયદો થાય એવી રીતે રમવાની શરૂઆત નહી કરે એવુ શા માટે કોઇએ વિચારવું જોઇએ.