News of Friday, 11th June 2021
ધવનને પ્રમોશન : શ્રીલંકાના પ્રવાસમાં કેપ્ટન બનાવાયો
શ્રીલંકાના ટૂરમાં ટીમ ઈન્ડિયા ત્રણ વન-ડે, ત્રણ ટી-૨૦ મેચોની સીરીઝ રમશે : ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સેમસન, ગૌતમ, ચેતન સાકરીયા સહિત યુવા ખેલાડીઓનો સમાવેશ
નવી દિલ્હી : ભારતની યુવા ટીમ શ્રીલંકાના પ્રવાસે જનાર છે. જેમાં ટીમ ઈન્ડિયાના ઓપનીંગ બેટ્સમેન ધવનને પ્રમોશન આપવામાં આવ્યુ છે. તેને કેપ્ટન બનાવાયો છે. ભારતની ટીમ શ્રીલંકામાં ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચોની સીરીઝ રમનાર છે. આ સિવાય ઉભરતા ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદૂત પડીકલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેસસન (વિકેટકીપર), યજુવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌથમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની અને ચેતન સાકરીયા.
(11:39 am IST)