હજુ આઈપીએલમાં રમતો જોવા નહીં મળે શ્રીસંત
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આ વર્ષે હરાજી માટે 1114 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. બીસીસીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં બિડ માટે ફક્ત 292 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. 7 વર્ષના લાંબા ગાળા પછી ક્રિકેટમાં પાછા ફરનાર એસ શ્રીસંતને હરાજીમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઓ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન માર્નસ લબુસ્ચેને પહેલીવાર આઈપીએલ માટે પોતાને નોંધણી કરાવી છે. લબુશેનની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા છે. તેણે આ વર્ષે આઈપીએલમાં રમવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. મળતી માહિતી મુજબ આ વર્ષે આઈપીએલમાં 292 ખેલાડીઓમાંથી 164 ભારતીય ખેલાડીઓ શામેલ છે જ્યારે 125 વિદેશી ખેલાડીઓ છે. તમામ 8 ટીમોમાં 61 સ્લોટ ભરવા માટે હરાજીની પ્રક્રિયા 18 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યે શરૂ થશે.