કોહલી બીમાર હતો છતાં કોઈને ખબર પડવા ન દીધી
અનુષ્કાએ ઈમોશનલ પોસ્ટ શેર કરી
નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા પર પલટવાર કર્યો. તે બીમાર હતો, હાર ન માની અને કોઈને ખબર પણ ન પડવા દીધી. વિરાટ માટે ઈમોશનલ થઈને અનુષ્કાએ પ્રેમ વ્યક્ત કર્યો છે. કોહલીએ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ૧૮૬ રનની મોટી ઈનિંગ રમી હતી. તે તેની બેવડી સદી ચૂકી ગયો, પરંતુ આ ઈનિંગમાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. લગભગ ૩ વર્ષ પછી તેના બેટથી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. કોહલીએ પોતાની ઈનિંગમાં ૧૫ ચોગ્ગા ફટકાર્યા હતા.કોહલી લગભગ ૮ કલાક સુધી મેદાન પર બેટિંગ કરતો રહ્યો. ટીમ માટે સંઘર્ષ કરતો રહ્યો. તે ન તો અટકયો કે ન થાકયો. છેવટે ભારતને ઓસ્ટ્રેલિયા પર લીડ અપાવીને જ તે માન્યો. કોહલી બીમાર હતો. પરંતુ વિરાટે કોઈને જાણ ન થવા દીધી કે તે બીમાર છે. તે મેદાન પર પૂરા ઉત્સાહમાં જોવા મળ્યો હતો. કોહલી બીમાર છે. આ જાણકારી તેની પત્ની અનુષ્કા શર્માએ આપી.અનુષ્કાએ કોહલીની ઈનિંગ બાદ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઈમોશનલ પોસ્ટ શેયર કરી અને કહ્યું કે શાંતિથી બીમારીમાં રમવું. તમે હંમેશા મને પ્રેરિત કરો છો