કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય હોકી ટીમનું નેતૃત્વ કરશે મનપ્રીત સિંહ
નવી દિલ્હી: બર્મિંગહામમાં 29 જુલાઈથી શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય હોકી ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ મનપ્રીત સિંહ કરશે, જ્યારે હરમનપ્રીત સિંહને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ, કેનેડા, વેલ્સ અને ઘાનાની સાથે પૂલ બીમાં રાખવામાં આવેલ ભારત 31 જુલાઈએ ઘાના સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.ટૂર્નામેન્ટ માટે 18 સભ્યોની ટીમના સુકાની તરીકે મનપ્રીતનું પુનરાગમન ભારતને 2020 ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના જાદુને ફરીથી જીવંત કરવામાં સક્ષમ બનાવશે, જ્યાં તેણે ચાર દાયકાથી વધુના અંતરાલ પછી કાંસ્ય જીત્યો હતો. જ્યાં વાઇસ-કેપ્ટન હરમનપ્રીત સિંહ FIH પ્રો લીગનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી હતો, ત્યારે ભારત બર્મિંગહામમાં શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખી શકે છે. ટીમમાં અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ અને ક્રિશન બી પાઠકનો સમાવેશ થાય છે, જેઓ ઈજા બાદ ટીમમાં પુનરાગમન કરી રહ્યા છે. ડિફેન્ડર વરુણ કુમાર, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ અને જરમનપ્રીત સિંહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.