કેએલ રાહુલ - આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાશે
મુંબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે : ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને સ્પોર્ટસના દિગ્ગજ હસ્તિ સામેલ થશે
મુંબઇ તા. ૨૩ : બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ભારતીયᅠક્રિકેટર કેએલ રાહુલᅠછેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. કેટલાક દિવસોથી બંનેના ઘરના ફોટો અને વીડિયો સતત સામે આવી રહ્યા છે, જેમાં લગ્નની તૈયારીઓ જોવા મળી રહી છે. આજે એટલે કે ૨૩ જાન્યુઆરીએ બંને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાશે.
આથિયા શેટ્ટીના પિતા અને બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનું ખંડાલામાં ખૂબ જ આલીશાન ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ અથિયા અને કેએલ રાહુલના લગ્નનું સ્થળ છે. અહેવાલો અનુસાર, બંનેના લગ્નનું ફંક્શન રવિવારથી કોકટેલ પાર્ટી સાથે શરૂ થઈ છે. આ પાર્ટીમાં ફક્ત પરિવારના સભ્યો અને ખાસ મિત્રોએ જ હાજરી આપી હતી.
૨૨ જાન્યુઆરીએ, બંન્ને પીઠી અને મહેંદીનું ફંક્શન હતુ. સાત ફેરા લેતા પહેલા ખંડાલા ફાર્મ હાઉસમાં જ હલ્દી અને મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. તે જ સમયે, ૨૩ જાન્યુઆરીએ બંને સાથે જશે અને લગ્ન કરશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થશે.
રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં સામેલ થનારા લોકોના રહેવાની વ્યવસ્થા ફાર્મ હાઉસની પાસેની એક હોટલમાં કરવામાં આવી છે. લગ્નમાં મહેમાનો માટે સાઉથ ઈન્ડિયન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને પરંપરા અનુસાર, કેળાના પાંદડા પર ભોજન પીરસવામાં આવશે.રવિવારે સુનીલ શેટ્ટીએ તેની પુત્રી અને રાહુલના લગ્નના સમાચારની પુષ્ટિ કરી હતી. આ વીડિયોમાં સુનીલ શેટ્ટી હાથ જોડીને મીડિયાને મળતો જોવા મળ્યો હતો. તેણે મીડિયાને વચન આપ્યું હતું કે લગ્ન પછી તે કપલ સાથે બંગલાની બહાર આવીને પોઝ આપશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શન થશે, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સ્પોર્ટ્સ જગતથી લઈને બિઝનેસ અને પોલિટિક્સના લોકો ભાગ લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રિસેપ્શન ખૂબ જ ભવ્ય હશે જેમાં ૩ હજારથી વધુ મહેમાનો સામેલ થશે. જો કે, આથિયા અને કેએલ રાહુલીના લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ જોરશોરથી થઈ રહી છે.