જયસ્વાલ તેની રણજી ટ્રોફીની સફળતા માટે આપે છે જોસ બટલરને શ્રેય
નવી દિલ્હી: મુંબઈના ડાબા હાથના યશસ્વી જયસ્વાલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022 માં રાજસ્થાન રોયલ્સ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન ઈંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલર પાસેથી મળેલી ટીપ્સનો શ્રેય આપ્યો છે. મુંબઈ તરફથી રમતા જયસ્વાલે બુધવારે બેંગલુરુમાં મધ્યપ્રદેશ સામે રણજી ટ્રોફી ફાઈનલના પ્રથમ દિવસે અડધી સદી ફટકારી હતી. જયસ્વાલે કહ્યું કે આઈપીએલ 2022માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી માટે ઓરેન્જ કેપ જીતનાર બટલરે તેને ધ્યાન કેન્દ્રિત રહેવાની અને યોગ્ય સમયે અને જરૂરિયાત મુજબ તેના શોટ્સ લગાવવાની સલાહ આપી હતી.બીસીસીઆઈ ડોમેસ્ટિકના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં જયસ્વાલને ટાંકવામાં આવ્યું હતું કે, "હું તેમના સૂચનોને અનુસરવાનો પ્રયાસ કરું છું, જેનાથી મને મદદ મળી છે. બોલ જુઓ, પરિસ્થિતિને સમજો અને સારા ક્રિકેટ શોટ્સ રમતા રહો."