ટેસ્ટ હારશું તો WTC રેન્કીંગમાં ચોથા સ્થાને સરકી જશું
પ્રેકટીસ મેચના પ્રથમ દાવમાં તો બેટરો કંઈ ઉકાળી ન શકયાઃ વિદેશી ભૂમિ ઉપર કોચ દ્રવિડની પણ પરીક્ષા
નવીદિલ્હીઃ ટીમ ઈન્ડિયાની સિનિયર ટીમ ઈંગ્લેન્ડમાં છે. ૧ જુલાઈથી શરૂ થનારા એકમાત્ર ટેસ્ટમાં જો આપણી ટીમ હારશે તો વર્લ્ડ ટેસ્ટ રેન્કીંગમાં પોઈન્ટ ટેબલમાં સરકીને ચોથા સ્થાને પહોંચી જશું અને ફાઈનલમાં પહોચવા મુશ્કેલ બનશે.
હાલ પ્રેકટીસ મેચ ચાલુ છે. ગઈકાલે ટીમ ઈન્ડિયાના બેટરોનું પ્રદર્શન નવોદીત વિકેટકીપર બેટર કેએસ ભરત સિવાય નિરાશાજનક પ્રદર્શન રહ્યું. જેથી કોચ દ્રવિડની ચિંતા વધી છે. સિરીઝમાં ભારત ૨-૧થી આગળ છે. પરંતુ હાલ ઈંગ્લેન્ડની ટીમ ન્યુઝીલેન્ડ સામે સારૂ પ્રદર્શન કરી રહી છે.
એકમાત્ર ટેસ્ટ મેચમાં બેટરો અને બોલરો સાથે બેલેન્સીંગ ટીમ મેદાનમાં ઉતારવી પડશે. ખેલાડીઓએ શાદનાર પ્રદર્શન કરવું પડશે.આઈસીસીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની રેસમાં રહેવા માટે ભારતે આ સિરીઝ જીતવી જ પડશે. નહિતર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની રેન્કીંગમાં ભારતીય ટીમ ચોથા સ્થાને પહોંચી જશે.