બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે જાડેજા અને યશ દયાળને આરામ અપાયો
કુલદીપસેન અને ઓલરાઉન્ડર શાહબાઝ અહમદ ટીમમાં
નવી દિલ્હીઃ બીસીસીઆઇએ બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઇન્ડીયામાં મોટો ફેરફાર કર્યા છે. ઇજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા અને યશ દયાળને આરામ અપાયો છે. કુલદીપ સેન અને ઓલરાઉન્ડર શાહબાઝ અહમદનો ટીમમાં સમાવેશ કરાયો છે. બીસીસીઆઇએ કહ્યુ છે કે યશ દયાળને પીઠના નીચેના ભાગમાં સમસ્યા છે. જ્યારે જાડેજા હજુ ઘૂંટણની ઇજામાંથી સંપૂર્ણપણે સાજો થઇ શકયો નથી. આ જ કારણ છે કે બંનેને બાંગ્લાદેશ પ્રવાસમાથી બહાર કરવામાં આવ્યા છે. કુલદીપ સેન અને શાહબાઝ અહમદની પસંદગી ન્યુઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે કરવામાં આવી હતી. પરંતુ હવે બંનેને શ્રેણીમાંથી દૂર કરવામાં આવ્યા છે. કારણ કે તેઓ બાંગ્લાદેશના પ્રવાસે જવાના છે. ન્યુઝીલેન્ડની શ્રેણી માટે કુલદીપ અને શાહબાઝનું કોઇ રિપ્લેસમેન્ટ આપવામાં આવ્યુ નથી.
બાંગ્લાદેશની વન-ડે શ્રેણી માટે ભારતની ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટ કીપર) ઇશાન કિશન (વિકેટ કીપર), શાહબાઝ અહમદ, અકસર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન.