ખેલ-જગત
News of Thursday, 24th November 2022

બાંગ્લાદેશ પ્રવાસમાં જાડેજાની જગ્યાએ શાહબાઝનો સમાવેશ

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ અનફિટ રવિન્દ્ર જાડેજાનું સ્થાન લેશે, BCCIએ બુધવારે જાહેરાત કરી હતી. 33 વર્ષીય જાડેજા હજુ સુધી ઘૂંટણની ઈજામાંથી બહાર આવ્યો નથી અને તે BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. આ સ્ટાર ઓલરાઉન્ડરને લાંબા સમયથી ઘૂંટણની ઇજાને કારણે સર્જરી કરાવવા માટે ગ્રુપ સ્ટેજ પછી ભારતના એશિયા કપ અભિયાનને છોડવું પડ્યું હતું અને ત્યારબાદ તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ બાંગ્લાદેશ પ્રવાસ માટે ODI અને ટેસ્ટ બંને માટે ટીમની જાહેરાત સમયે કહ્યું હતું કે જાડેજાનો સમાવેશ ફિટનેસને આધીન રહેશે. હવે તે વનડેમાંથી બહાર થઈ ગયો છે.

(7:56 pm IST)