ખેલ-જગત
News of Friday, 25th November 2022

ઓલરાઉન્‍ડર વેંકટેશ ઐય્‍યર કહે છે

ટીમમાં પસંદગી વિષે વિચારતો નથી, શ્રેષ્‍ઠ આપવાનો પ્રયત્‍ન કરીશ

નવી દિલ્‍હીઃ ૨૭ વર્ષીય વેંકટેશ અય્‍યર એક ઉતમ ઓલરાઉન્‍ડર પણ ટીમ માટે સારૂ પ્રદર્શન કરી શકયો નથી

ઐય્‍યે કહયુ કે હું હંમેશા તકોની શોધમાં રહુ છુ અને જો હું ભારત માટે નથી રમી રહયો તો મારી પાસે આઇપીએલ અને મારી હોમ ટીમ માટે રમવાની તક છે. હું માત્ર પ્રક્રિયાને અનુસરવા માંગુ છું અને પસંદગી વિશે વિચારતો નથી. હવે હું ફકત મારું શ્રેષ્‍ઠ આપવાનો પ્રયત્‍ન કરીશ અને અન્‍ય બાબતો વિશે વિચારીશ નહીં. વેંકટેશ અય્‍યરે ભારત માટે ૨ વનડેમાં ૨૪ રન બનાવ્‍યા છે અને એક પણ વિકેટ લીધી નથી, જયારે ૯ ટી૨૦ ઇન્‍ટરનેશનલમાં તેણે ૧૩૩ રન બનાવ્‍યા છે અને ૫ વિકેટ લીધી છે

(10:06 am IST)