News of Saturday, 28th May 2022
કાર્તિકને આચારસંહિતાના ભંગ બદલ ઠપકો
નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરના દિનેશ કાતિર્કે આઇપીએલની આચારસંહિતાનો ભંગ કર્યો એ બદલ તેને મેચના મેચ-રેફરીએ ઠપકો આપ્યો. છે.
અમદાવાદમાં લખન સામેની મેચ દરમ્યાન કાતિર્કે આઇપીએલની કલમ ૨.૩ હેઠળ લેવલ-૧ પ્રકારના અફેન્સની કબૂલાત કરી હતી. સામાન્ય રીતે કોઇ ખેલાડી હરીફને ગાળ આપે કે તેની સામે કોઇ ખરાબ વર્તન કરે તો તેને આ કલમ લાગુ પાડવામાં આવે છે.
(3:30 pm IST)