News of Thursday, 29th September 2022
ઈરાની ટ્રોફી માટે હનુમા વિહારી કેપ્ટનઃ પાંચમીથી રાજકોટમાં મેચ
નવી દિલ્હીઃ ઈરાની કપ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ બોર્ડે હનુમા વિહારીને રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમનો કેપ્ટન બનાવ્યો છે. જે ૨૦૧૯-૨૦ની રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમ સામે ટકરાશે.
ત્રણ વર્ષ બાદ આ ટુર્નામેન્ટ રમાશે. ક્રિકેટ બોર્ડે ૧૬ ખેલાડીઓનાં નામની ઘોષણા કરી છે જે રાજકોટમાં પહેલીથી પાંચમી ઓકટોબર વચ્ચે રમાશે. કોરોનાને કારણે છેલ્લી બે સીઝનથી આ મેચ રમાઈ નહોતી. ટીમમાં મયંક અગ્રવાલ અને પ્રિયાંક પંચાલ પણ છે.
(3:57 pm IST)