મુંબઇ ટેસ્ટમાં શ્રેયસનું ફાઇનલ પણ રહાણે કે પુજારામાંથી એકનું પતુ કપાશે જ
જો કે બેટીંગ કોચ વિક્રમ રાઠોડે કહયું હાલતો ટીમમાંથી બહાર કરવાનો વિચાર નથી
નવી દિલ્હીઃ કાનપુરમાં ટેસ્ટ ડેબ્યૂના કરનારા શ્રેયસ અય્યરની ઈનિંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલી ઊભી કરી છે. કેપ્ટન વિરાટ કોહલી મુંબઈમાં વાપસી કરશે.
ટીમ મેનેજમેન્ટની સામે સમસ્યા એ છે કે ટીમમાં હાજર બે ઓપનર મયંક અગ્રવાલ અને શુભમન ગિલ છે. આવી સ્થિતિમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ચેતેશ્વર પૂજારા અથવા અજિંક્ય રહાણેમાંથી કોઈ એકને પડતો મૂકવામાં આવી શકે છે. જોકે, બેટિંગ કોચ વિક્રમ રાઠોડે પૂજારા અને રહાણેનું સમર્થન કર્યું છે. વિક્રમે કહ્યું કે હજુ સુધી કોઈને પડતા મૂકવાના નિર્ણય પર ચર્ચા થઈ નથી. તમે તમારા ટોચના ખેલાડીઓને ટીમમાં રાખવા માંગો છો. પૂજારા અને રહાણેએ ૯૦ અને ૮૦ ટેસ્ટ રમી છે. તેણે ટેસ્ટમાં કંઈક ખાસ કર્યું હશે તો જ તે ટીમમાં છે. તે હાલમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. વિક્રમે કહ્યું કે અમને આશા છે કે તે પાછો ફોર્મમાં આવશે. તેઓને ક્યારે તક આપવામાં આવશે તે હું કહી શકતો નથી, તે પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. અમે અત્યારે તેને ટીમમાંથી બહાર કરવાનો વિચાર નથી કરી રહ્યા. શ્રેયસ અને પૂજારા-રહાણેને ટીમમાં રાખવા અંગેનો નિર્ણય મુંબઈ પહોંચ્યા બાદ લેવામાં આવશે.
જો વર્તમાન ફોર્મ જોવામાં આવે તો રહાણેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. છેલ્લા ૧૨ મહિનામાં રહાણેએ ૧૨ ટેસ્ટમાં ૨૪.૬૬ની એવરેજથી રન બનાવ્યા છે. અશ્વિને તેના કરતા વધુ સરેરાશ (૨૬.૧૪)થી રન બનાવ્યા છે. જો કે રહાણે ટીમનો વાઈસ કેપ્ટન છે અને જો તેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા કાનપુર ટેસ્ટ જીતશે તો ટીમ ઈન્ડિયા ચોક્કસપણે તેને પડતો મુકવાનું વિચારશે.