Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

વિરપુર સેલુકાના તલાટીકમ મંત્રી જયદીપભાઇ ગોંધીયાનો જન્મદિન

વીરપુર, તા., પઃ સેલુકા ગામના તલાટી કમ મંત્રીની ફરજ બજાવતા અને યાત્રાધામ વીરપુર ગ્રામ પંચાયતના ભુતપુર્વ તલાટીમંત્રી જયદીપભાઇ ગોંધીયાનો આજે જન્મદિવસ છે.

સેવાભાવી અને લાગણીશીલ સારી છાપ ધરાવતા જયદીપભાઇએ કોરોના કાળમાં લોકડાઉનમાં ગરીબ લોકોને અને પરપ્રાંતીય મજુરોને પોતાના સ્વખર્ચે જીવન   જરૂરીયાતની વસ્તુઓ આપી પોતાની તલાટી મંત્રી તરીકેની કર્મનિષ્ઠ કામગીરી કરી હતી. લોકડાઉનમાં પણ કોરોના વાયરસની માહીતી આપી લોકોને માહીતગાર કર્યા હતા. ગરીબ અને અભણ વૃધ્ધ લોકોના મસિંહા ગણાતા તલાટી મંત્રી જયદીપકુમારને પત્રકારમિત્રો, અધિકારી વર્ગ, બિન અધિકારી વર્ગ તેમજ મિત્રો જન્મદિનની શુભકામનાઓ તેમના મોબાઇલ ન઼બર ૯૯૭૮૦રર૩રર ઉપર પાઠવી રહયા છે.

(12:47 pm IST)