Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

"સાથ નિભાના સાથિયા 2માં' જોવા નહીં મળે "ગોપી બહુ" : શૂટ કર્યો લાસ્ટ એપિસોડ

મુંબઈ: ટીવી સિરિયલ "સાથ નિભાના સાથિયા 2" ના ચાહકો માટે  ખરાબ સમાચાર છે. કોકિલા બેન પછી  હવે ગોપી બહુ  શો છોડવાની છે. અહેવાલો અનુસાર ગોપી બહુનું પાત્ર ભજવનારી દેવોલિના ભટ્ટાચારજી 23 નવેમ્બરે છેલ્લી વખત આ શોમાં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર,દેવોલિનાની સાથે સ્વાતિ શાહ, મોહમ્મદ નાઝિમ અને વંદના વિથનાલી પણ આ શો છોડવા જઇ રહ્યા છે. શોની વાર્તામાં હમણાં બે પરિવારો છે. મોદી અને દેસાઇ. નિર્માતાને લાગ્યું કે મોદી પરિવારની વાર્તા દેસાઈ પરિવાર પર પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે આ પરિવારોમાંથી એકની યાત્રા શોમાં સમાપ્ત કરવામાં આવશે. આવી સ્થિતિમાં ફક્ત દેસાઈ પરિવારની વાર્તા આવતા મંગળવારથી 'સાથ નિભાના સાથિયા 2' માં બતાવવામાં આવશે. સમાચાર અનુસાર નિર્માતાઓએ આ નિર્ણય લીધો કારણ કે આ શોમાં મોદી પરિવારની વાર્તા દેસાઈ પરિવાર પર પ્રભુત્વ ધરાવે છે. તેથી જ તેમણે મોદી પરિવારની વાર્તાનો અંત કર્યો. મંગળવારના એપિસોડથી ફક્ત દેસાઇ પરિવાર શોમાં જોવા મળશે.

(4:38 pm IST)