Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સુરતના વરાછા રોડ પર બીમારીથી કંટાળી 69 વર્ષીય વૃધ્ધે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના વરાછા રોડ પર નવી શક્તિ વિજય સોસાયટીમાં રહેતા 69 વર્ષીય કરસનભાઈ ભીખાભાઈ સવાણી બુધવારે સાંજે ઘરમાં અનાજ માં નાખવાની ટીકડી પી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.

પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે કરસનભાઈ મૂળ અમરેલીના વતની હતા. તે છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હોવાથી કંટાળી ગયા હતા. જેથી તે સતત માનસિક તાણ અનુભવતા હોવાથી પગલું ભર્યું હતું. તે નિવૃત્ત જીવન ગાળતા હતા તેમને ત્રણ સંતાન છે. અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:10 pm IST)