Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

નાંદોદના કરાઠામાં એકસાથે ૬ કોરોના પોઝિટિવ દર્દી મળ્યા:નર્મદા જિલ્લામાં ગુરુવારે ૧૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં ગુરુવારેનવા ૧૨ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં મોટા માલિવાડ ૦૧ સ્ટેશન રોડ ૦૧ નાંદોદ તાલુકાના નવા રાજુવાડીયા ૦૧ વડિયા ૦૧ કરાઠા ૦૬ અને તિલકવાળાના જેસિંગ પુરા ૦૧ જેતપુર ૦૧ મળી નર્મદા જિલ્લામાં કુલ ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૦૫ દર્દી દાખલ છે આજે ૦૯ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૯૮૭ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૦૩૭એ પહોચ્યો છે.આજે વધુ ૪૮૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:22 pm IST)