Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અમદાવાદ પોલીસ વિભાગમાં મોટા ફેરફાર: 12 પીઆઇની અન્ય અન્ય જિલ્લાઓમાં અને 8 પીઆઇની આંતરિક બદલી

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા બદલીના હુકમ કરાયા

ગુજરાત પોલીસ વિભાગમાં બદલીનો દોર શરૂ થયો છે. 12 PIની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 8 PIની આંતરિક બદલી કરી છે

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા અમદાવાદના પીઆઈની બદલીના  આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યમાં પણ 12 PIની અન્ય જિલ્લાઓમાં બદલીના આદેશ અપાયા છે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા બદલીઓ કરવામાં આવી છે. સરખેજ પીઆઇની મણીનગર પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. મણીનગર પીઆઈ એસ.એમ પટેલને ક્રાઇમબ્રાંચમાં મુકાયા છે. એસ.જી દેસાઇ ટ્રાફિક પીઆઇને સરખેજ પીઆઇ તરીકે બદલી થઇ છે. જે.કે ભરવાડને વેજલપુર સેકેન્ડ પીઆઇ બનાવાયા છે. કે.ડી જાડેજાની શાહિબાગ પીઆઇ તરીકે બદલી થઇ છે. શાહિબાગ પીઆઇની કંટ્રોલરૂમમાં બદલી થઇ છે. વી.ડી મોરી કંટ્રોલરૂમ પીઆઇને એસઓજીમાં મુકવામાં આવ્યાં છે. .એલ મહેતા વિશેષ શાખા પીઆઇને સાબરમતી સેકેન્ડ પીઆઇ બનાવાયા છે.

સ્પે. બ્રાંચ પીઆઇ જે. રાઠવાની સાબરકાંઠા, ટ્રાફિક પીઆઇ આર. જાદવની નર્મદા, શાહપુર પીઆઇ આર.કે અમીનની પાટણ, ટ્રાફિક પીઆઇ એચ.બી વાધેલાની સાબરકાંઠા, રામોલ પીઆઇ કે.એસ દવેની પોરબંદર, શહેરકોટડા પીઆઈ વી.આર વસાવાની નર્મદા, માધુપુરા પીઆઈ વી.એન રબારીની ભરૂચ, નરોડા પીઆઈ જે.જી પટેલની સ્ટેટ કંટ્રોલ રૂમમાં, રખિયાલ એમ.પી પઠાણની સીઆઇડી ક્રાઇમમાં, કારંજ પીઆઈ એમ. તળપદાની પાટણ અને દાહોદ પીઆઇ કે.જે ઝાલાની અમદાવાદમાં બદલી કરવામાં આવી છે.

(12:25 am IST)