Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

વડોદરા: દાંડિયાબજારમાંથી મળી આવેલ યુવકની કરપીણ હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો

વડોદરા: શહેરના દુમાડ અને દેણા ગામને જોડતા રોડ પર વ્યાસેશ્વર મહાદેવ પાસે અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી.  કિશનવાડીમાં રહેતા યુવાનની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 

નાળીયા રસ્તા પર પાણીના ખાબોચીયામાંથી મળી આવેલા તેની લાશ પર દસથી વધુ ઘા મળી આવ્યા હતા. જ્યારે તેના બાવડા પર સિંહના નિશાનનું છુંદણુ હોવાનું મળી આવતાં પોલીસે તેના આધારે ઓળખ છતી કરી હતી.

 હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. હત્યાના બનાવમાં અન્ય કોઈ નહિ પણ તેના મિત્રએ હત્યા કરી હોવાની થિયરી પર પોલીસે તપાસ ચલાવતા સફળતા મળી હતી પીસીબી પોલીસે હત્યારા સહિતહીદ બે શકમંદો ની અટકાયત કરી હોવાની  માહિતી સામે આવી છે.

વડોદરા શહેર નજીક આવેલા દુમાડથી દેણા ગામ જવાના માર્ગ ઉપર ઝાડીમાં ભરાયેલા પાણીના ખાબોચીયામાં સ્થાનિક ગ્રામજની મૃતદેહ પર નજર પડી હતી. જેના પગલે ગ્રામજનોએ તાત્કાલીક પોલીસને જાણ કરી હતી. જેના પગલે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તેમજ જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોચી ગયો હતો. 

(5:18 pm IST)