Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગાંધીનગર નજીક લેકવાડા ગામમાં માતાજીના મંદિરને નિશાન બનાવી તસ્કરોએ 48 હજારની કિંમતના આભૂષણની ઉઠાંતરી કરી રફુચક્કર

ગાંધીનગર:શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે શહેર નજીક આવેલા લેકાવાડા ગામના વહાણવટી માતાજી મંદિરમાં ત્રાટકેલા તસ્કરો ૪૮ હજારની કિંમતના આભુષણ ચોરીને પલાયન થઈ ગયા હતા તો કુડાસણના હનુમાન મંદિરમાં ત્રાટકેલા તસ્કરોએ દાનપેટીનું તાળુ તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. જે સંદર્ભે સ્થાનિક પોલીસ મથકમા ગુનો નોંધાયો છે. પોલીસે તસ્કરોને પકડવા દોડધામ શરૂ કરી છે.  

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે વસાહતીઓ અને ગ્રામજનોની ઉંઘ હરામ થઈ ગઈ છે. ખાસ કરીને ન્યુ ગાંધીનગરમાં છેલ્લા થોડા દિવસોમાં તસકરોના ફેરા વધી ગયા છે. ગુરૂવારની રાત્રે ગ્રીનપાર્ક સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ ચાર જેટલા બંધ મકાનોનું તાળું તોડી મત્તા ચોરી ગયા હતા.

જો કે વસાહતીઓએ પડકારતાં તસ્કરો નાસી છુટયા હતા. ત્યારે કુડાસણમાં હરીઓમ ફલેટની સામે આવેલા હનુમાનજી મંદિરને પણ ગઈરાત્રીએ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મંદિરની દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમ ચોરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. 

(5:29 pm IST)