Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વડોદરા: મહિલા લેણદારના ત્રાસથી કંટાળી શ્રમજીવી યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

વડોદરા: લોનના રૃપિયા નહી ભરી શકતા શ્રમજીવી યુવક પાસે મહિલા લેણદારો વારંવાર ઉઘરાણી કરી ત્રાસ ગુજારતા હતા. જેનાથી કંટાળીને શ્રમજીવી યુવકે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. બનાવ અંગે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

કિશનવાડી વુડાના  મકાનમાં રહેતો આશિષ રમણભાઇ સોની છુટક મજુરી કરતો હતો. લોકડાઉનના કારણે સર્જાયેલી આર્થિક ભીસ હળવી કરવા તેણે બે મહિલાઓ પાસેથી લોન લીધી હતી. જેના રૃપિયા તે સમયસર ચૂકવી શક્યો હતો. જેથી તે ટેન્શનમાં  રહેતો હતો. આજે સવારે તેની પત્ની સયાજીપુરા એપીએમસી માર્કેટમાં કામ માટે ગઇ હતી અને ઘરે આશિષ એકલો હતોલેણદારોના ત્રાસથી કંટાળીને આશિષ સોનીએ બેડરૃમમાં છતના એંગલ પર ઓઢણી વડે ફાંસો ખાઇને  આપઘાત કરી લીધો હતો

(5:22 pm IST)