Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

બિહારમાં NDAની સીટની જાહેરાત

JDU ૧૨૨ અને BJP ૧૨૧ સીટ પર લડશે ચૂંટણી

બિહારમાં નીતિશ કુમાર જ એનડીએના નેતા છેઃ ભાજપ

નવી દિલ્હી,તા. ૭:બિહારમાં સત્ત્।ાધારી એનડીએ ગઠબંધન તરફથી સીટની વહેંચણીની જાહેરાત પર દરેકની નજરો હતી. આ દરમિયાન બીજેપી-જેડીયુની સંયુકત પ્રેસ કોન્ફરન્સ પટનામાં થઈ રહી છે. જેમાં બિહારના સીએમ નીતિશ કુમાર પણ છે. પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલે કહ્યું કે નીતિશ કુમાર જ એનડીએના નેતા છે.

રિપોર્ટ અનુસાર, બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે સત્ત્।ાધારી એનડીએમાં સીટ વહેંચણીના ફોર્મ્યુલા પહેલાથી જ નક્કી થઈ ચૂકયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એલજેપી ખસી ગયા પછી બંને પક્ષો અડધી-અડધી બેઠકો પર લડશે. થોડી જ સીટો પર પેચ ફસાયેલો હતો. જેનો ઉકેલ પણ હવે આવી ગયો છે.

ભાજપે પણ ઉમેદવારોની યાદી પર ચર્ચા પૂર્ણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે પાર્ટી ઉમેદવારોની યાદીમાં મોટું સરપ્રાઇઝ આપવાની તૈયારી કરી રહી છે. પાર્ટી આ વખતે પાંચથી છ હાલના ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. એટલું જ નહીં, પાર્ટી વર્તમાન ધારાસભ્યોના કોઈ નજીકના અને સગા-સંબંધીઓને ટિકિટ નહીં આપવાનું પણ વિચારી રહી છે.

બિહારની ચૂંટણી માટે દિલ્હીથી પટણા સુધીની ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક ચાલી રહી છે. તાજેતરમાં જ ભાજપ સેન્ટ્રલ ઇલેકશન કમિટીની પણ બેઠક મળી હતી. જે દરમિયાન વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ હાજર રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં પાર્ટીએ નિર્ણય લીધો હતો કે આ ચૂંટણીમાં કોઈ પણ ધારાસભ્ય, સાંસદ અથવા મંત્રીના નજીકના સભ્યોને ટિકિટ આપવામાં આવશે નહીં. જેડીયુ સાથે જોડાણના પગલે પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં સંપૂર્ણ નવી વ્યૂહરચના સાથે કામ કરી રહી છે. ખાસ કરીને ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીએ એકલા બિહારની ચૂંટણીમાં લડવાના કારણે પાર્ટીએ પોતાની વ્યૂહરચના બદલી નાખી છે.

(10:29 am IST)