Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કોર્ટના તિરસ્કાર બદલ યતીન ઓઝાને ગુજરાત હાઇકોર્ટે દોષિત ગણ્યા : આવતીકાલે શિક્ષા ફરમાવાશે : કોર્ટમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના નામદાર જજ સુશ્રી સોનિયા ગોકાણી તથા શ્રી એન.વી.અંજારિયાની ખંડપીઠે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એશોશિએશનના પ્રેસિડન્ટ યતીન ઓઝાને કોર્ટના તિરસ્કાર બદલ દોષિત ગણ્યા છે.તેમણે  જૂન માસમાં  ફેસબુક લાઈવ  પ્રેસ કોન્ફરસમાં હાઇકોર્ટમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનું કહ્યું હતું .
ઓઝાના આ નિવેદનને કોર્ટના તિરસ્કાર સમાન ગણવામાં આવ્યું છે.જે બદલ 3 જજની કમિટીનો  રિપોર્ટ રેકોર્ડ ઉપર લઇ તેઓને આવતીકાલે શિક્ષા ફરમાવાશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે. 

(12:00 am IST)