Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

પદ્મનાભસ્વામી મંદિરના બે પુજારી સહિત ૧૨ સંક્રમીત

 તિરૂવનંતપુરમઃ તા.૯, કેરલના તિરૂવનંતપુરમ સ્થિત સુપ્રસિધ્ધ પદ્મનાભસ્વામી મંદિરના બે પુજારી, આઠ મહાપુજારી, બે ગાર્ડ સહિત ૧૨ લોકો કોરોના સંક્રમીત થયાનું જાણવા મળે છે. હાલ ૧૫ ઓકટોબર સુધી મંદિરના દર્શન બંધ કરી દેવાયા છે. લાંબો સમય દર્શન રહયા બાદ ૨૬ ઓગષ્ટથી દર્શન ફરી ખોલવામાં આવ્યા હતા. ઓનલાઇન રજીસ્ટ્રેશનના આધારે દર્શન કરાવવામાં આવતા હતા. ત્યાં ફરી દર્શન બંધ કરાયા છે.

(11:38 am IST)